|
અરજીની તપાસ --
-
અરજદારે પોતાની અરજી પોલીસ સ્ટેશનમા પોલીસ ચોકી કે આઉટ પોસ્ટમા આપી શકે છે.તેમજ કોઈપણ ઉપરી અમલદારને આપી શકે છે.
-
અરજદારની અરજીની તપાસ અગર અરજી લેવા બાબતે અસંતોષ જણાય તો અરજદારઉપરી અધિકારી જેવા કે પોલીસ ઈન્સપેકટર,ડી.વાય.એસ.પી.,ડી.એસ.પી. સમક્ષ રજુ કરી શકે છે.
-
તેઓએ આપેલ અરજીની તપાસની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશન કે વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીમાંથી દરરોજ સવારે ક.૧૧-૦૦ થી ૧-૦૦ વચ્ચે મેળવી શકે છે.
-
અરજદારે આપેલી અરજી અંગે પહોંચ મેળવવા હકકદાર છે.
-
અરજીની તપાસ દિવસ-૭મા પુર્ણ કરી અહેવાલ પાઠવવાની અને તેની અરજદારને જાણ કરવાની હોય છે. તેમા કોઈ કારણસર વધુ સમયની જરૂર પડે તો ઉપરી અધિકારીની પરવાનગી લેવાની હોય છે.
વણ ઓળખાયેલી બિનવારશી વસ્તુઓ બાબત --
-
કોઈ બિનવારસુ વણ ઓળખાયેલી વસ્તુઓ આપના ઘ્યાને આવે તો તેની નજીક નહી જવુ અને આ અંગે પોલીસને તુરંતજ જાણ કરવી જોઈએ.
-
બેગ,શુટકેસ,ટ્રાન્જીસ્ટર,ટેલીફોન,રમકડા અથવા સાધનો અને ઈલેકટ્રોનીક ઉપકરણો જો બિનવારસુઘ્યાને આવે તો આ વસ્તુઓની નજીક જવુ નહી. કારણ કે કોઈક વખત આંતકવાદીઓએ અથવા અસામાજીક તત્વોએ આવા બિનવારસુ સાધનોમા વિસ્ફોટક પર્દાથ ભરી આંતક ફેલાવવાનુ કાવતરૂ કરેલુ હોય છે.
-
આવી રીતે કોઈ વસ્તુ બિનવારસુ મુકીને જતા જણાય તો તે વ્યકિતનુ વર્ણન ખાસ ઘ્યાને લઈ અને જો ઓળખ હોય તો ઓળખ સાથે પોલીસને જાણ કરવી જોઈએ.
-
આવી વણ ઓળખાયેલી વસ્તુ બાબત જંયા સુધી પોલીસ કે બોંબ ડીસ્પોઝલ સ્કવોડ આવે નહી ત્યા સુધી આ વસ્તુની નજીક કોઈને જવા દેવા નહી શકય તેટલુ આવી વસ્તુઓથી વધુ પડતુ દુર રહેવુ.
|
|